
ગુજરાતના નિર્દોષ બાળકોને મોતને ઘાટ ઉતારનારાઓને સજા ફટકારી નાના ભૂલકાઓને બચાવવા માટે એક પિતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુહાર લગાવી છે…
- મોડાસા તાલુકાના ઉમેદપુર ગામના વતની બિપિન પટેલ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી,કલેકટર થી લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ન્યાયની ગુહાર લગાવી છે…એક માસૂમનાં પિતાએ પત્ર લખી રજૂઆત કરી છે કે ગુજરાતના આરોગ્ય તંત્રનિ દેશ અને દુનિયામાં નામના છે પરંતુ કેટલાક પૈસાના ભૂખ્યા મેડિકલ માફિયા નિર્દોષ બાળકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે તેવા આક્ષેપો થઇ રહ્યા છે .તાજેતર અરજદાર ની દીકરીને સામાન્ય તાવ આવ્યો ત્યાર બાદ મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી .ડૉ.વિરલ કવિને સારવાર હેતુ પહોચ્યો હતો જ્યાં તેને કેલ્શિયમ સહિત અન્ય દવાઓ કરી હતી અને એમને એપનડિસ્ક હોવાનું જણાવ્યું હતું પરંતુ બિપીનભાઈ પટેલ જણાવ્યું હતું કે ઓપરેશન ના આગળના દિવસે જ મારી દીકરીને ખૂન નિ ઉલટી શરૂ થઈ હતી જેના કારણે અમે તબીબ ને જાણ કરતા તેમને કેસ બગડતો જોઈ અમને તાત્કાલિક અમદાવાદની ડીવાઈન હોસ્પિટલ કે જ્યાં મોડાસા ના તબીબોનું સીધું કમિશન સેટ તેવા આક્ષેપો કરીયા હતા.. જે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા..જ્યાં અમને જાણ થઈ હતી કે અમારી દીકરીની કિડનીમાં કચરો જામ થતા સોજો આવ્યો છે જેના કારણે તેને ત્યાં સારવાર ચાલુ કરી હતી પરંતુ મહત્ત્વનિ બાબત એ હતી મોડાસા ખાતે ડૉ. વિરલ કવિએ કરેલી સારવારમાં ક્યાંય કિડની નિ સારવાર હતીજ નહિ…એટલે કે ત્યાં અન્ય દવા કરી દેવામાં આવી હતી જેના કારણે કિડની પર વિપરીત અસર થઈ હતી અને જેના કારણે તે મુસીબતમાં પણ મુકાઈ હોવાની અમને શંકા છે…મહત્વનું છે કે અમદાવાદની ડીવાઈન હોસ્પિટલમાં ચાલેલી સારવાર દરમ્યાન એક બાદ એક અંગો પર ભારે અસર થવા લાગી હતી અને આ દરમિયાન ડીવાઈન હોસ્પિટલ દ્વારા અલગ અલગ રીતે સારવાર ના નામે અમારી પાસે થી 12 લાખ જેટલા રૂપિયા લેવામાં આવ્યા હતા અને અંતે અમે અન્ય હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું હતું તેવામાં અમારી દીકરીને વેન્ટિલેટર મૂકવામાં આવી હતી અને અમને મૌખિક દિવસના 50 હાજર ખર્ચ થશે તેવું ડૉ.હાર્દિક પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતુ.જોકે અમારી દીકરી નું અકારે મોત નીપજ્યું હતું..અમને લાગી રહ્યું છે કે આ કુદરતી નહિ પરંતુ મેડિકલ મર્ડર થયેલું છે અને અન્ય ગણા એવા બાળ દર્દીઓ છે કે જેવો આનો સીધો શિકાર બની શકે તેમ છે ત્યારે મારી એટલીજ નમ્ર અરજ છે કે મારી દીકરી સાથે જે ઘટના બની છે તે અન્ય કોઈ બાળક સાથે ન બને અને આ રીતે અન્ય કોઈ બાળકનું મેડિકલ મર્ડર ન થાય તે માટે આ બંને તબીબો સામે યોગ્ય કરવામાં આવે અને રૂપિયા બનાવવામાં માટે ચાલી રહેલી આ હાટડીઓ તરત બંધ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.અમદાવાદની ડીવાઈન હોસ્પિટલમાં સૌથી વધુ મોડાસાના તબીબો દ્વારા જ દર્દીઓ મોકલવામાં આવે છે.લોકચર્ચા પ્રમાણે મોડાસાના તબીબોનું અમદાવાદના તબીબ સાથે સેટિંગ ચાલી રહ્યું છે