
અમદાવાદ,ગુજરાત માં ઠશોઠસ મજબૂતાઈ ધરાવતી ભારતીય જનતા પાર્ટી ને તેના બે લગામ નેતાઓ કે કાર્યકર્તાઓ ના કારણે ૨૦૨૪ ની આ લોકસભાની ચૂંટણીમાં મત માગવા ને બદલે ઠેર ઠેર માફી માગવાનો કે મત ગુમાવવાનો વારો આવ્યો છે.
આ સમાચાર માં વિડીયો જોવાનું ચુક્તા નહિ
રૂપાલા વિવાદ ના કારણે ગુજરાત માં લોકો નો વિરોધ ગામેગામ ભભૂક્યો છે તો બીજી તરફ કિરીટ પટેલ ના શબ્દ બાણ થી પણ ફરીવાર ક્ષત્રીય સમાજ વિંધાયો હોય તેવા દ્રશ્યો સરજાયા છે. આ ઉપરાંત હમણાજ એક સમૂહ લગ્ન ના કાર્યક્રમ માં ભાજપ ના ઋષીકેશ પટેલ અને હરિભાઈ ની હાજરી માં સ્ટેજ ઉપરથી કોંગ્રેસ ના ઉમેદવાર ને સહકાર ની વાત થતાં જ ભાજપ ના નેતાઓ નું નાક કપાઈ ગયું હોય તેવો ઘાટ થયોછે.
આ જ પ્રકારની બાબત સાબરકાંઠા માં પણ બે લગામ નેતાઓ ભલ્લે પાર્ટી આગળ ભાજપ કહેતા હોય પણ હૈયામાં ની વાત હોઠ પર આવવાદેતા નથી તેવું સ્પષ્ટ દેખાય છે. તો બીજી તરફ લોકો એમ પણ કહેવાય છે કેકોઈ ને બીવડાવી ને કાઢી મુકીએ તો તે આપણો થાય ખરો ? તો બીજી તરફ અપશ ના ટેકામાં જે ધારાસભ્યો કુદકા મારતા હતા તમનું ચૂંટણી ઉપર “રાજ ક રણ ” કેવું હશે તે આવનારા સમય બતાવશે.