
નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસનાં ત્રણ ટર્બાઈન ચાલુ થતાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 10 દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. એને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને નર્મદા પરિક્રમા શરૂ કરવા માગ કરી છે અને નર્મદા પરિક્રમા શરૂ નહીં કરાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કલેક્ટર કચેરીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોએ ‘નર્મદા પરિક્રમા શરૂ કરો…શરૂ કરો’, ‘તઘલખી નિર્ણય પાછો લો…પાછો લો…’ના સૂત્રોચ્ચાર કર્યા હતા.